...

6 views

નિશાળે જઈએ 🌺
ચાલ ને ઘર ને છોડી ને નિશાળે જઈએ,
થોદો અક્ષરજ્ઞાન નો ઉજાસ મેળવીએ.

મિત્રો સાથે હળી મળી ને રહીયે
શિક્ષણ નો ખુબ વ્યાપ વધાવીએ.

થોડા સરવાળા અને બાદબાકી કરીએ,
પણ મિત્રતાનો માત્ર સરવાળોજ કરીએ.

પ્રાર્થના, ભજન અને મધુર ગીત ગાઈએ,
ગમતા વિષયની આતુરતાથી રાહ જોઈએ.

અને જો શિક્ષક હોમવર્ક ચૅક કરે
તો એમના જવાની પણ રાહ જોઈએ

માટે કહું છું ચાલ ને નિશાળે જઈએ
જેથી આવતીકાલ ને બદલી શકીયે...

- નિકિતા મકવાણા 🌺